આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે.
ઉમરગામ મામલતદાર મૃત્યુ કેસ: સત્ય અને ન્યાય માટે આદિવાસી સમાજની માંગ | Valsad News
ઉમરગામ મામલતદારના દુઃખદ અવસાન પછી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ન્યાયની માંગ ઉઠી છે. જાણો સંપૂર્ણ ઘટના અને તપાસની માંગ વિશે વિગતવાર માહિતી.
ચુંટણીઓ આવી રહી છે એટલે ભાજપ સરકાર દ્વારા ભોળા આદિવાસી મતદારોને છેતરવાનો આ અઘટિત પ્રયાસ થઈ રહ્યો છે. -અરુણભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ શ્રી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય
ચુંટણીઓ આવી રહી છે એટલે ભાજપ સરકાર દ્વારા ભોળા આદિવાસી મતદારોને છેતરવાનો આ અઘટિત પ્રયાસ થઈ રહ્યો છે.
તા. 29-10-1956 નાં નોટિફિકેશન માં ગીર, બરડા અને આલેચનાં જંગલ વિસ્તારમાં નેસમાં વસવાટ કરનાર રબારી, ભરવાડ અને ચારણ જાતિને કઠીન પરિસ્થિતિમાં રહેતા હોઈ પુષ્પાબેન મહેતાનાં રિપોર્ટ ને આધારે અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હકીકત એ છે કે તેઓ આદિવાસી નથી.
1978 માં બક્ષીપંચની રચના થઈ એ વખતે રબારી, ભરવાડ, ચારણને બક્ષીપંચમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે આ ગીર, બરડા અને આલેચનાં જંગલ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિને સમાવેશ બક્ષીપંચની યાદીમાં સમાવેશ કરવો જોઈએ પરંતું કોઈ અગમ્ય કારણોસર એવું થયું નહી.
ગીર, બરડા અને આલેચ વિસ્તારનાં રબારી, ભરવાડ અને ચારણ સાથે ગુજરાત રાજ્યનાં અન્ય વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ વચ્ચે રોટી-બેટીનો વહેવાર છે એમને “અસ્પૃશ્ય” ગણીને ભેદભાવ કરવામાં આવતો નથી એટલે એક જ જાતિને અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચમાં બેવડો લાભ આપી ના શકાય.
હાલ વિધાનસભા સત્ર માં નાણાંમંત્રી દેસાઈ એ જાહેરાત કરી છે એ આદિવાસીઓને છેતરવા માટે કરી છે.
હકીકત માં આદિવાસી સમુદાયનાં લોકોએ 2017 થી આની સામે આંદોલન શરુ કર્યું છે.
જાતિ પ્રમાણપત્ર લેનારાઓની ખરાઈ કરવા વિશ્લેષણ સમિતિ બનાવી પરંતું અપુરતા સ્ટાફને કારણે 3 મહિનામાં વિશ્લેષણ સમિતિ દ્વારા ચકાસણી કરવામાં આવતી નથી.
સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષ (2017 થી 2021) થી લેખિત અને મૌખિક રજુઆત પછી તા. 12-07-2021 નાં રોજ ગુજરાત સરકારે એસ.ટી. આયોગ દિલ્હીને દરખાસ્ત મોકલી એનાં ત્રણ વર્ષ પછી તા. 18-01-2024 નાં રોજ આદિવાસી વિભાગ અને એસ.ટી. આયોગને જરૂરી માહિતીઓ આપી. કેન્દ્ર અને રાજ્ય માં ભાજપાની સરકાર હોવા છતાં આજદિન સુધી આનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
ગીર, બરડા અને આલેચનાં જંગલ વિસ્તારમાં રહેતાં રબારી, ભરવાડ અને ચારણ જાતિને ઓબીસીમાં સમાવેશ કરવાનો નિર્ણય સંસદ દ્વારા લેવામાં આવે સંવિધાનાં અનુચ્છેદ 342 [2] મુજબ . આ સત્તા ગુજરાત સરકાર પાસે નથી ફક્ત સંસદને જ આ સત્તા છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે પછી આ જાતિઓને ઓબીસીમાં સમાવેશ કરવાનો કાયદો ગુજરાત સરકાર કરે ત્યારે જ એની અમલવારી થઈ શકે ત્યાં સુધી આ લોલીપોપ જ કહેવાય.
માટે આદિવાસીઓ જાગો.
ખોટી જાહેરાત સાંભળીને ભરમાઈ જશો નહીં..
-અરુણભાઈ ચૌધરી
પૂર્વ પ્રમુખ શ્રી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય
જોહાર
આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે
આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે, આપની પાસે બીજા સંર્પક હોય તો કોમેન્ટ કરો.
આદિવાસી સમાજની મહિલાઓને અપમાન બદલ ગુનો દાખલ કરવા આવેદન અપાયું
વિષય : આદિવાસી સમાજની મહિલાઓને વેશ્યાઓ ની પ્રવૃત્તિઓ નિરંકુશ રીતે ચાલ્યા કરે છે. આવું લખનાર અને છાપનાર વ્યક્તિ પર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા બાબત.
મહાશય,
સવિનય સહ નમ્ર અરજ જણાવવાનું કે, આર જમનાદાસ એન્ડ કંપની . સી-૧૮, માધવપુરા માર્કેટ , પોલીસ કમિશનર ઓફિસની પાસે, શાહીબાગ રોડ અમદાવાદ- 380004. ફોન નંબર- 40049005/06 . પોતાની પુસ્તક ‘કોટિલ્યન કૃત પ્રશ્નકુથ ‘ ( બી.એ.સેમેસ્ટર-4 ) પાના નંબર . 74 પર વેશ્યાગમન ના લેખમાં આદિવાસી સમાજમાં વેશ્યાઓની પ્રવૃત્તિઓ નિરંકુશ રીતે ચાલ્યાં કરે છે. આ અભદ્ર લેખ લખવાથી આદિવાસી સમાજની મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ નાં જીવન પર ખૂબ જ ખરાબ અસરો થશે. જીવનઉપર ખરાબ અસરો અને સામાજીક રીતે આદિવાસીઓને કરુદ્રષ્ટિ થી જોવા લાગ્યા છે. અને લાંબા ગાળે તેની અસરો જીવન ઉપરજોવા મળશે.જો આવા પકારના શિક્ષણમા પાઠયોપુસ્તકોમા લખાણ બંઘ નથાય તો લાંબા ગાળે ખુબ જ ખરાબ જોવા અસરો જોવા મળશે.
ભારતીય સમાજમાં નારીનું સ્થાન ખૂબ જ સન્માનજનક રીતે લેવામાં આવે છે. નારી ને “નારી તું નારાયણી” કહીને તેનું સન્માન કરવામાં આવે છે.દેશમાં નારી સશક્તિકરણની વાત થાય છે. ત્યારે (1) આર જમનાદાસ કંપની અને (2) ભારતમાં સાંપ્રત સામાજિક સમસ્યાઓ પુસ્તક માં લખાંણ આપવામાં આવ્યા છે.
આવું લખાણ લખનાર અને છાપનાર પુસ્તકના લેખક અને માલિક ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને આવા પ્રકાશકનું લાઈસન્સ રદ કરી આજીવન લેખન કાર્ય પર પ્રતિબંધ મુકવામાં આવે. તેવી અમારા સમાજની માંગણી છે.
લી.
મહિલા કન્વીનર
ધર્મિષ્ઠાબેન ધર્મેશભાઈ પટેલ
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર.
ફેસબુક પર આદિજાતિના અપમાન બદલ ફરિયાદ
ફેસબુક પર આદિજાતિના લોકોને બીભત્સ અને અપમાન જનક ગાળો આપી અપમાનિત કરવા બદલ એટ્રોસિટી એક્ટ અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુના નોંધી કડક કામગીરી કરવા બાબતની અરજી.
સામાજીક સમરસતા જાળવવા અને સમાજ માટે હીન ભાવના રાખી લોકોને બદનામ કરવા અને તેમના આત્મ સમ્માન ને ઠેસ પહોચાડનાર વ્યક્તિઓ સામે તા. ૨૨/૦૯/૨૦૨૦ ના રોજ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર અને દક્ષીણ ગુજરાત હળપતિ સમાજ પ્રગતિ મંડળ, સુરત દ્વારા કમિશ્નર કચેરીની મુલાકાત લઇ એટ્રોસિટી એક અને આઈ.ટી. એક્ટ હેઠળ આરોપી “હરપાલસિંહ રાજપૂત” અને “જતીન શાહ ” વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી.








